શું તેઓ હજુ પણ એટલા જ શ્રીમંત છે? જેટલા તેઓ એક સમયે હતા?
1858માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા છેલ્લા મુઘલ સમ્રાટને પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો. કંપનીના સૈનિકો સાથેના યુદ્ધ બાદ, દિલ્હીમાં રહેલ મુઘલ સલ્તનતનું પતન થયું હતું. દિલ્હીના પતન બાદ, મુઘલ સમ્રાટને બર્મામાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો. તેમનું મૃત્યુ મુઘલ વંશનો અંત દર્શાવે છે. આમ છતાં મુઘલ સમ્રાટ સિવાય તેના અન્ય વંશજોનું શું થયું? એક સવાલ, સૌના મનમાં થાય તેવો છે.
મુઘલોના વંશજો આજે ક્યાં છે? શું તેઓ હજુ પણ એટલા જ શ્રીમંત છે? જેટલા તેઓ એક સમયે હતા?
બહાદુર શાહ II ના શાસનકાળના ઈતિહાસકાર અને મુગલ ટ્રસ્ટના સ્થાપક સભ્ય પ્રોફેસર અસલમ પરવેઝે ડેઈલી ટેલિગ્રાફને કહ્યું:
"એવા ઘણા લોકો છે જેઓ વંશજ હોવાનો દાવો કરે છે.બળવા પછી દિલ્હીથી ઘણા મુઘલો વિખેરાઈ ગયા હતા, હૈદરાબાદ ભાગી ગયા હતા અને કોઈને ખબર નથી કે કોણ ક્યાં ગયું," તેમણે કહ્યું હતું.
રાજવંશની પદભ્રષ્ટીના કારણે, બ્રિટિશ કમાન્ડર દ્વારા એક હિંસક સંઘર્ષ, પછી બ્રિટિશરોએ પદભ્રષ્ટ સમ્રાટના પુત્રો-રાજવીઓના નરસંહાર કરાવ્યો હતો. રાજકુમારોને બળદગાડા પર બેસાડીને દિલ્હી શહેર તરફ લઈ જવામાં આવ્યા. તેઓ જ્યારે શહેરના દરવાજા પાસે પહોંચ્યા, ફરીથી લોકોનું ટોળું તેમની આસપાસ એકઠું થવા લાગ્યું હતું. બ્રિટિશ કમાન્ડર હોડસને ત્રણેય રાજકુમારોને બળદ ગાડામાંથી ઉતરવા અને તેમના ઉપરના વસ્ત્રો ઉતારવાનો આદેશ આપ્યો. ત્યારબાદ તેણે તેના એક સૈનિક પાસેથી કાર્બાઈન ગન લીધી. તેમને ગોળી મારી દીધી. તેમની સિગ્નેટ વીંટી, પીરોજ આર્મ બેન્ડ્સ અને બિજવેલ્ડ તલવારો લેવામાં આવી હતી.
તેમના મૃતદેહોને કોતવાલી અથવા પોલીસ સ્ટેશનની સામે પ્રદર્શિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી હિન્દુસ્તાની પ્રજા આરામથી તેમને જોઈ શકે. જ્યાં પદભ્રષ્ટ સમ્રાટના પુત્રો માર્યા ગયા હતા, તેની નજીકના દરવાજાને હજુ પણ ખૂની દરવાજા અથવા ' લોહિયાળ દરવાજો' કહેવામાં આવે છે.
આ એક અર્થપૂર્ણ છેકે અન્ય વંશજોએ, બ્રિટિશરોના પ્રતિશોધના ડરથી ભાગી જવું હતું. જેના કારણે તેઓએ દિવસો ગુમનામીમાં પસાર કરવાનું શ્રેષ્ઠ માન્યું હશે. નીચે ચિત્રમાં, દિલ્હીના ઈમ્પિરિયલ સિટીના ઓલ્ડ બ્લડી ગેટ, જ્યાં માર્યા ગયેલા રાજકુમારોના શબને સડવા માટે છોડી દેવામાં આવ્યા હતા. તેને આજે ઐતિહાસિક કલાકૃતિ તરીકે જાળવી રાખવામાં આવ્યા છે.
1857ના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ બાદ, મુઘલ સલ્તનત સાથે જોડાયેલા ઘણા લોકો કલકત્તા ભાગી ગયા હોવાનું માનવામાં આવે છે. જ્યાં ખાનગી ટ્રસ્ટ દ્વારા 70 વંશજોની ઓળખ કરવામાં આવી છે. ઔરંગાબાદ માં સૌથી વધુ 200 વંશજો રહેતા હોવાનું માનવામાં આવે છે. અન્ય લોકો પાકિસ્તાન અને બર્મામાં રહેતા હોવાનું માનવામાં આવે છે. ( સાચું ખોટું રામ જાણે)
હાલ તેમાંથી કેટલાક નોંધપાત્ર ગરીબીમાં જીવે છે. એક મહિલા, સુલતાના બેગમ, જે ઝફરના પ્રપૌત્ર મિર્ઝા મોહમ્મદ બેદાદ બખ્તની વિધવા હોવાનો દાવો કરે છે. જેને પુરાવા તરીકે 400 રૂપિયા (£5.40) મહિનાનું રાજ્ય પેન્શન સરકાર આપતી હતી.
એવું લાગે છે કે ભારત સરકાર સુલતાના બેગમના દાવાને અધિકૃત તરીકે ઓળખે છે. જે તેમને ટોકન પેન્શનની ચુકવણી દ્વારા સ્પષ્ટ થાય છે. ઇન્દિરા ગાંધીએ ત્યારબાદ રાજ્ય અને મળતા સાલીયાણા બંધ કરી દીધા હતા.
તે સમયે તેણીએ કહ્યું, "મને પરિવારના વંશને કારણે ભારત સરકાર તરફથી 400 રૂપિયા પેન્શન મળે છે." "હું ક્યારેક રોજના 20 કે 25 રૂપિયામાં બંગડીઓમાં સુશોભનના પથ્થર ગોઠવવા જેવા વિચિત્ર કામ કરું છું." તેમના પતિ મિર્ઝા મોહમ્મદ બેદાદ બખ્ત અર્ધ કિંમતી આવા સુશોભનના પથ્થરોનો વેપાર કરતા હતા.
અધિકૃત રીતે, તૈમુરીદ/ખાનદાન-એ-તૈમૂર/તૈમુરિયન (خاندانء تیموریان) ઉર્ફે ગોરકાનિયાં/ખાંદન-એ-ગોરકાનિયાં (خاندانء گورکانیان) ઉર્ફે મુઘલ રાજવંશ/ખાનદાન-એ-મુગલીયા (خاندانء مغليه) ભારતીય યુદ્ધ સાથે સમાપ્ત થયું. હિન્દુસ્તાનની સ્વતંત્રતા બાદ, હવે દરેક રાજવંશનો ઔપચારિક રીતે અંત આવી ગયો છે.
No comments:
Post a Comment